પાકિસ્તાનની સેના તરફથી LOC પર થયેલી ફાયરિંગમાં ઘાયલ થયેલા BSF ના જવાન ગુરનામ સિંહે શનિવારે રાત્રે છેલ્લા શ્વાસ લીધા. જવાન પુત્ર શહીદ થવા પર તેના પિતા કુલબીર સિંહે દુઃખ નહીં પરંતુ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેમને આનંદ છે કે તેમના પુત્રએ દેશ માટે શહાદત આપી. જો કે તેમણે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અપીલ પણ કરી અને કહ્યું કે હવે તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરી નાખો. શહીદ જવાન ગુરનામ સિંહના પિતા કુલબીર સિંહે એક નિવેદન આપતા જણાવ્યું છે કે, અમારો પુત્ર બહાદુર હતો અને તેણે દેશ માટે તેના પ્રાણનું બલિદાન આપ્યું છે. અમને તેનો કોઈ જ આઘાત નથી પરંતુ ખુશી છે. અમે મોદી સરકારને અપીલ કરીએ છીએ કે, હવે તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને તેને પાઠ ભણાવવો જ જોઈએ. ગુરનામ સિંહની જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કુલબીર સિંહે જમ્મુમાં એક સારી હોસ્પિટલની પણ માંગણી કરતા કહ્યું છે કે, અહિયાં અમે એક સારી હોસ્પિટલ ઈચ્છીએ છીએ કે જેમાં બધી સુવિધાઓ હોય. તો બીજીતરફ ગુરનામ સિંહની માતા જસવંત કૌરે જણાવ્યું છે કે, એકવાર ગુરનામે કહ્યું હતું કે માં જો હું દેશ માટે કુરબાન થઈ જાઉ તો રડતી નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે નહીં રડું. જસવંતે પણ મોદી સરકાર પાસે એક જ માંગણી કરી કે અમે સરકાર પાસે એક અલગ BSF હોસ્પિટલ ઈચ્છીએ છીએ. અમે અમારા બધા બાળકોને લઈને ચિંતિત છીએ. તેમને સારી સારવાર મળવી જોઈએ. ગુરનામની બહેને પણ સારી હોસ્પિટલની માંગણી કરી હતી અને સાથે વડાપ્રધાનને અપીલ કરી છે કે, ' એક હોસ્પિટલ બનાવાય અને તે તેમના ભાઈના નામ પર બનાવાય' આ અગાઉ ગુરનામની બહેને સરકાર પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, જ્યારે તેમના ભાઈની હાલત ગંભીર હતી તો તેમને સારવાર માટે વિદેશ કેમ ના મોકલાયો. શુક્રવારે પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં BSF જવાન ગુરનામ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગમાં તેમને માથામાં ગોળી વાગી હતી.
Related Articles
The post શહીદ જવાન ગુરનામના પિતાની PM મોદીને અપીલ- પાકિસ્તાનને પાઠ ભણાવવા હવે કરો યુદ્ધ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here