Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

એક વ્યક્તિ માટે અત્યારે રમજાન મહિનો ચાલે છે.
બીજા માટે પરષોત્તમ મહિનો ચાલે છે.
અને બધાં માટે ધગધગતી ગરમીથી ભરેલો મે મહિનો પણ ચાલે જ છે.

આ ચાલુ મહિનામાં પડતી પુષ્કળ પ્રમાણમાં ગરમીને લીધે લોકોના રોજીંદા જીવનમાં કોઈ ખલેલ ન પહોંચે એટલે કદાચ આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ હશે.

આખો મહિનો ઉપવાસ કરીએ અને તેનાથી પડતી તકલીફો, ગરમી પડવાથી કઈંક વધારે જ હોઈ શકે. એટલે જ આ ઉપવાસની વ્યવસ્થા હજુયે કામ લાગે છે.

હવે આ આખા સીનારીયોને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સમજીએ તો ખ્યાલ આવે કે, સદીઓથી ચાલતી આવતી આ પ્રથાઓ ખરેખર મનોવૈજ્ઞાનિક છે. પરિસ્થિતિ મુજબ અને ત્યારનાં સમયમાં મોજુદ શંસાધનો ને ધ્યાનમાં રાખીને રિતી રિવાજો બન્યાં હોવા જોઈએ. ઉપવાસ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ભ્રમ ઉભો કરે છે. જે વાસ્તવિક પરિસ્થિતિનું કદ શૂન્ય કરી નાખે છે. અને ઉભી થયેલી કૃત્રિમ અવસ્થા પર વધારે ધ્યાન દોરવવા મજબૂર કરે છે. છે ને સ્માર્ટ મુવ.

પણ જો ત્યારે ગરમીથી બચવાના શંસાધનો મોજુદ હોત તો કદાચ આ પ્રકારની વિધિઓમાં થોડા ફેરફાર થયા જ હોત. ગરમી તો ફક્ત એક પરિબળ છે. એવાં તો ઘણાય પરિબળો ને ધ્યાનમાં રાખીને રિવાજો બન્યા હોવા જોઈએ.

મૂળે, દરેક રીતરિવાજોનું વૈજ્ઞાનિક પૃથક્કરણ થવું જરૂરી છે. તો જ આ પેઢીને એનું મહત્વ સમજાશે. અને તો જ નકામી રિતી રિવાજો પર બ્રેક લાગશે.

આખરે તમામ પ્રથાઓનું મૂળ ધ્યેય સમૃધ્ધ સામાજિક વ્યવસથા જ હતું.

- કમલ ભરખડા



This post first appeared on Balcony Of Wisdom (સમજણ નો ઓટલો), please read the originial post: here

Share the post

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

×

Subscribe to Balcony Of Wisdom (સમજણ નો ઓટલો)

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×