Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે સરકાર : Arun Jaitley

નાણામંત્રી Arun Jaitley એ શુક્રવારે સંસદમાં એક સવાલનાં જવાબમાં કહ્યું છે કે, સરકાર દેશનાં નાણાંકીય વર્ષ એપ્રિલ-માર્ચનાં કારણે જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે. તેઓએ કહ્યું છે કે, 'નાણાંકીય વર્ષનો સમય બદલવાનાં મામલે સરકાર વિચાર કરી રહી છે.' તેઓએ જણાવ્યું છે કે, સરકાર તરફથી બનાવવમાં આવેલ કમિટી આ મામલે એક રીપોર્ટ તૈયાર કરી રહી છે. આ કમિટીનાં ચેરમેન પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકરઆચાર્યને બનાવવામાં આવ્યું છે, સરકારને રીપોર્ટ મળ્યો છે. જોકે, નાણામંત્રીએ આ વિષય પર કોઈ નિવેદન આપ્યું નથી કે, બજેટ રજૂ કરવાનાં સમયે પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે કે નહી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે સરકારે બજેટ રજૂ કરવા માટે ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પ્રકારે ચર્ચા શરુ કરવામાં આવી હતી કે દેશની ઇકોનોમિક સિસ્ટમમાં મોટો બદલાવ કરતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાણાંકીય વર્ષને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી શકે છે. તેના લીધે આગામી બજેટ નવેમ્બર ૨૦૧૮ માં રજૂ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, છેલ્લા ૧૫૦ વર્ષથી દેશના નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ જ માનવામાં આવે છે. જો તેમાં બદલાવ હોય છે, તો આ ૧૫૦ વર્ષ જૂની પરંપરા ખત્મ થશે. સુત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી તરફથી બદલાવનું વલણ કર્યા બાદ સરકાર ફાઇનાન્સિયલ યરમાં બદલાવ માટે કામ કરીઓ રહી છે. અને તેને કેલેન્ડર યરનાં તર્જ પર જ રાખવામાં આવશે.

The post નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે સરકાર : Arun Jaitley appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે સરકાર : Arun Jaitley

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×