Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Bihar : મુસ્લિમ પરિવારે મંદિર માટે દાનમાં આપી જમીન, કોણ કહે છે મુસ્લિમ ન આપી શકે રામ માટે જીવ?

Bihar : હિન્દુસ્તાનની રાજનીતિમાં જયારે કેટલાક લોકો મંદિર - મસ્જીદને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યા છે. ત્યારે Bihar ના ગોપાલગંજમાં એક મુસ્લિમ પરિવારે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાની એક અનોખી મિસાલ રજુ કરી છે. અહિયાંના એક મુસ્લિમ પરિવારે મંદિર બનાવવા માટે કરોડો રૂપિયાની જમીન દાનમાં આપી છે. જો કે, કુચાયકોટના બથનાકુટ્ટીમાં સ્થિત રામજાનકી મંદિર પાસે મુસ્લિમ પરિવારની જમીન હતી. મંદિર નિર્માણને લઈને અહિયાં હંમેશા વિવાદ થતો રહેતો હતો. પરંતુ મન્નુ શાહ ઉર્ફ મન્નુ દિવાને આ જમીન પર હવે મંદિર બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે, તેણે જમીન દાન કરીને આ મુશ્કેલીનો ઉકેલ બહુ જ સરળતાથી નીકાળી દીધો છે. મન્નુ દિવાનનું કહેવું છે કે, હું નથી ઈચ્છતો કે, આ મુદ્દાને લઈને અહિયાં કોર્ટ વિવાદ થાય. તેથી મે આ કદમ ઉઠાવવું યોગ્ય સમજ્યું. જો કે, આ હાઈવેના કિનારે આવેલ આ જમીનની કિંમત કરોડો રૂપિયા છે. મન્નુ શાહનું કહેવું છે કે, ભલે હિંદુ હોય કે મુસ્લિમ તાંતિક તાલમેળ હોય તો દુનિયામાં કોઈ વિવાદ થઇ જ ન શકે. મુસ્લિમ સમુદાયના આ નિર્ણયથી રામજાનકી મંદિર સમિતિના લોકો બહુ જ ખુશ છે. તેના આયોજક અર્ધેન્દુ બાબુએ કહ્યું કે, અહિયાં મુસ્લિમ પરિવાર દ્વારા જમીન દાનમાં આપવાના નિર્ણયથી દરેક સમુદાયના લોકો ખુશ છે.

The post Bihar : મુસ્લિમ પરિવારે મંદિર માટે દાનમાં આપી જમીન, કોણ કહે છે મુસ્લિમ ન આપી શકે રામ માટે જીવ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Bihar : મુસ્લિમ પરિવારે મંદિર માટે દાનમાં આપી જમીન, કોણ કહે છે મુસ્લિમ ન આપી શકે રામ માટે જીવ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×