Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઉત્તર ગુજરાતના લોકોએ Passport માટે અમદાવાદ નહિ આવવું પડે: મુખ્યમંત્રી

પાલનપુરમાં પોસ્ટ ઓફિસ Passport સેવાકેન્દ્રનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે તા.ર૮ માર્ચને મંગળવારે સવારે ૧૦/૩૦ કલાકે બનાસકાંઠાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ Passport સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ પાસપોર્ટ (Passport) સેવાકેન્દ્ર અંતર્ગત બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના નાગરિકો પોતાના પાસપોર્ટ સંબંધી કામકાજ માટે પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતેથી સેવાઓ મેળવી શકશે. આ વિસ્તારના લોકોએ પાસપોર્ટ માટે હવે અમદાવાદ સુધી લાંબા થવું નહિ પડે. કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ (Passport) સેવાકેન્દ્રો શરૂ કરવાના હાથ ધરેલા પ્રજાહિતલક્ષી અભિગમ રૂપે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં દાહોદ, પાલનપુર અને ભૂજ પોસ્ટ ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ પોસ્ટઓફિસ ખાતે પાસપોર્ટ (Passport) સેવા કેન્દ્રનો ગત તા. રપ જાન્યુઆરી-ર૦૧૭ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાલનપુર પોસ્ટ ઓફિસ પાસપોર્ટ (Passport) સેવાકેન્દ્રના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી દિલીપકુમાર ઠાકોર, શંકરભાઇ ચૌધરી, કેશાજી ચૌહાણ પણ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

The post ઉત્તર ગુજરાતના લોકોએ Passport માટે અમદાવાદ નહિ આવવું પડે: મુખ્યમંત્રી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઉત્તર ગુજરાતના લોકોએ Passport માટે અમદાવાદ નહિ આવવું પડે: મુખ્યમંત્રી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×